કહો કવિતા
કહો કવિતા
1 min
406
કંથા ભાથેથી છૂટે બાણ,
સ્નેહપુંજ વેરે ભાણ !
એમ શબ્દ વહેણ હૈયેથી સર્યા જ કરે છે !
ના ઘાટ,
ના સાગર તટ કે કોઈ રણદ્વિપોના પટ !
રખે ઘોર ઘૂઘવતા પૂર
કે રંક નિર્બળોના દર્દ દમનના નૂર !
હર નેત્રેથી
અનિમેષ પ્રખર ગર્જતો એ હૃદય વિહારી સૂર છે !
મારા પ્રિત બંધુઓની
વ્યથા આલપતું હૃદય,
વાંસળી થઈ વાગે છે !
પછી એને કહો કવિતા
કે હૈયે સળગતી ગ્રીષ્મ ચિતા !
એતો રસીલાં હૈયામાં
વહેતી રે વા'લ સરિતા છે !