STORYMIRROR

ચૈતન્ય જોષી

Inspirational

4  

ચૈતન્ય જોષી

Inspirational

કેવું સારું !

કેવું સારું !

1 min
481

આચરણ એ જ સંદેશ બની જાય તો કેવું સારું,

કોઈના વર્તનમાં ગાંધીજી પરખાય તો કેવું સારું !


ગળાં ફાડીને ઝીંકેલાં ભાષણોથી અર્થ નહિ સરે,

પગલાંમાં જ દૈવત કદી વસી જાય તો કેવું સારું ! 


સૌકોઈ બને છે મહાન પોતાનાં આચરણ થકી જ,

કરણી કથનીમાં એકરુપતા દેખાય તો કેવું સારું ! 


આચરણશૂન્યતા એ જ સમસ્યા છે આજકાલની,

સલાહ, ઉપદેશ, બોધ હવે હટી જાય તો કેવું સારું ! 


જગતને સુધારવા નીકળે છે લોકો ઉપદેશ આપીને,

ખુદ પોતે સુધરીને સંદેશ આપી જાય તો કેવું સારું ! 


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational