આર્યખંડની કહાણી
આર્યખંડની કહાણી
1 min
470
નષ્ટ થઈ આ આર્યખંડની કહાણી,
જ્યાં દેવ હતા 'વડ' અને દેવી હતી 'તુલસી',
જ્યાં થતી હતી ધરતીની આરતી,
ત્યાં જ આ ધરતી વિસરાઈ,
જ્યાં ઘેર ઘેર હતી કૃષ્ણ, રામની મૂર્તિ,
ત્યાં આજે મોબાઈલ અને ટીવી ,
બાદલમાં સંતાતો ચંદ્ર ને ગગનમાં વિહરતા પંખી,
કેમ તું ભૂલ્યો આ કુદરતને માનવી?
જેની મૂંગી છે વાણી અને ભાષા અજાણી,
નષ્ટ થઈ આ આર્યખંડની કહાણી .