આ મિત્રતાની યાદો
આ મિત્રતાની યાદો
આમજ મિત્રતા સંગાથે જીવનના પલ વહે છે,
દિલમાં ભાવનાઓની યાદના ઝરણા ઝરે છે,
ને આંખોમાં એ યાદથી લોહીના રંગો ભરે છે,
નીંદર બિચારી પાછી વળી ગઈ, યાદોમાં વહે છે,
પાંપણને મિત્રતાની પ્રતિક્ષાનો ભાર લાગે છે,
એ મીઠાં સંભારણાથી દિલને આરામ મળે છે,
અમૂલ્ય મિત્રતાના સંભારણાથી ખુશી મળે છે,
એ જ તો જિંદગી જીવવાનું બળ પ્રદાન કરે છે,
ભાવના સભર મિત્રતા કૃષ્ણ અને સુદામાની છે,
આવી જ નિર્મળ મિત્રતા અલગ ઈતિહાસ રચે છે.