કોઈને કે'તી નહીં હોં
કોઈને કે'તી નહીં હોં
ઘણાબધા દિવસ પછી આરતી આરાધનાને ફોન કરે છે..
આરતી " કેમ છે..આરુ...? "
"બસ શાંતિ છે તું બોલ ! "
"ઘરે બધા મજામાં ને?."
"હા..હો..બધા મજામાં છે.."
"આજ કાલ તું દેખાતી નથી મારા ઘર બાજુ કેમ કાંઈ રિસાણી છે મારા થી..? "
"અરે...ના...બેન...ના.."
"આ જો ને નવું ઘર લીધા પછી નવરાશ મળતી જ નથી. "
" હશે લો.. "
"એક વાત કહું જો ખોટું ના લગાડતી.. અને હા કોઈને કે'તી પણ નહીં હો તો વાત કરું. ! ! "
"હા બોલ નહીં લાગે ખોટું.. "
" પેલા શિલ્પામાસી તારું મને બહુ બધું કે'તા હતાં ! મને કે'તા હતાં કે આરાધનાડી પેલા કૃપેશભાઈના દીકરા જોડે બહુ રખડે છે.."
"અરે તું પણ એ કાલુડીની વાતમાં આવી ગઈ.."
"જો બેન પ્લીઝ કોઈને કે'તી નહીં હો.. "
આરતી " અને હા ખાસ કરીને શિલ્પામાસીને તો કે'તી જ નહીં હો..એમણે મને ચોખ્ખી ના પાડી છે કે આરાધનાડીને કાંઈ વાત ના કરતી એમ.."
"હા નહીં વાત કરું બસ. "
" પ્લીઝ આરું કોઈને કે'તી નહીં.."
આરાધના ના મમ્મી બોલાવે છે..
" આરતી હું પછી વાત કરું મમ્મી બોલાવે છે.."
"બાય..બાય.. "
આરાધના મમ્મી પાસે જાય છે.
અને આરાધના આરતીએ કહેલી બધી વાત એના મમ્મીને કહે છે કે શિલ્પામાસી મારું આવું બધું બોલતા હતાં.
આરાધના કહે છે " મમ્મી તમે પાછા આ વાત કોઈને કે'તા નહીં હોં."