ભક્તિ
ભક્તિ
રમણિકલાલ જોતાંવેંત જ તાડુકીયા, "એય રેકડી વાળા તારે અહીં રેકડી રાખવાની, આ અમારા ટ્રસ્ટનું મંદિર છે, અહીં દર્શનાર્થીઓને અડચણ ઊભી થાય, હવેથી અહીં રાખી છે ને તો ટ્રાફિક અને મ્યુસિપલ કોર્પેરેશન બન્નેમાં ફરીયાદ કરી દઇશ."
રેકડી વાળો નિરાશ થઇને આગળ ચાલ્યો ગયો. રમણિકલાલ બહાર ચંપલ કાઢીને મંદિરમાં ગયા. પ્રાર્થના કરતાં બોલ્યા, "હે પ્રભુ, મને સદબુધ્ધિ આપજે કે હું કોઇનું જાણતાં કે અજાણતાં ખરાબ ન કરું."