આઝાદ મન
આઝાદ મન
મારે છોડવી મનની ગુલામીને,
નથી જીવવું જા સમસમીને,
મન મને ગમે તેમ નચાવે છે,
માનવું નથી એનું હવે નમીને,
મનને શુદ્ધ કંચન બનાવવું છે,
ઈર્ષા, અભિમાન ભૂલાવીને,
મનને આઝાદ એવું બનાવું,
પૂર્વગ્રહો બધા જ છોડીને,
આઝાદીનો મોટો ઉત્સવ છે,
ખુશ થઈ જાઉં હું મનાવીને,
મન હોય કે પછી શરીર હોય,
એ ચાહે છે માત્ર આઝાદીને.