The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW
The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW

ચૈતન્ય જોષી

Inspirational

3  

ચૈતન્ય જોષી

Inspirational

સહનશીલતા

સહનશીલતા

1 min
458


કામ ક્યારેક બગડી જાય છે સહનશીલતા વિના,

મોડેમોડે સત્ય સમજાય છે સહનશીલતા વિના,


મતભેદ તો તાસીર છે સમાજની વર્ષોજૂની રહી,

ખુદનાં સ્વજનો દૂર થાય છે સહનશીલતા વિના,


છે જરુરત કેળવવાની " નમવું" ને " ખમવું" સમો જોઈ,

આપ્તજનો પણ અકળાય છે સહનશીલતા વિના,


ધીરજ અનિવાર્ય ગુણ છે જે સૌએ રાખવો ઘટે,

મૌન તોડીને પછી પસ્તાય છે સહનશીલતા વિના,


નથી જરુરી કે દરેક વાત દરેકને કહી જ દેવાની,

ઉરની ઓષ્ઠે કદી બોલાય છે સહનશીલતા વિના,


ક્રોધ માનવીને ઘડીભરમાં ન કરવાનું કરાવી દેતો,

સંબંધોમાં પૂર્ણવિરામ મૂકાય છે સહનશીલતા વિના.


Rate this content
Log in

More gujarati poem from ચૈતન્ય જોષી

Similar gujarati poem from Inspirational