STORYMIRROR

ચૈતન્ય જોષી

Inspirational

4  

ચૈતન્ય જોષી

Inspirational

સદગુણો.

સદગુણો.

1 min
470

સદગુણો આભૂષણ બની જાય છે જીવનમાં,

મહત્ત્વ એનું સમય થકી સમજાય છે જીવનમાં,


સિંગાર છે આત્માનો એ ઉન્નતિ કરનારો સદા,

પછી મનુષ્યમાંથી દેવ થઈ જાય છે જીવનમાં,


કીમત માનવીની સદાચાર થકી જ થનારી છે,

સદાચાર થકી જ માનવી પંકાય છે જીવનમાં,


દૃષ્ટ માનવી પણ મનોમન સદગુણો સરાહતા,

આચારશુદ્ધિ વડેજ મૂલ્ય અંકાય છે જીવનમાં,


મતિ એવી ગતિ હોય આખરે પ્રત્યેક જીવની,

સદવર્તને ચાર ચાંદ લાગી જાય છે જીવનમાં.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational