STORYMIRROR

ચૈતન્ય જોષી

Inspirational

4  

ચૈતન્ય જોષી

Inspirational

સાદગી

સાદગી

1 min
23K

ખોટા ખરચમાંથી બચાવે છે સાદગી.

મૂલ્યોનાં મહત્વને વધારે છે સાદગી.


સરળતા સહજ વિકસે છે વ્યક્તિમાં,

પાઠ કરકસરના એ ભણાવે છે સાદગી.


નીતિમત્તાનું ધોરણ અનાયાસે પળાતું,

જરુરિયાતો ઓછી કરાવે છે સાદગી.


ભ્રષ્ટાચાર નાબૂદ થઈ શકે સાદગીથી,

સાદાં જીવને ઉચ્ચતા અપાવે છે સાદગી.


અપેક્ષાનું સ્તર નીચું આવી જાય છે ને,

મનનો ઉચાટ આખરે શમાવે છે સાદગી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational