ગાંધીબાપુ
ગાંધીબાપુ
એક’દી એક કૃશ કાવ્ય પહોચ્યું ગાંધી આશ્રમે,
નજરે એમણે નિહાળ્યા બાપુ તો,
કાંતિ રહ્યા'તા દોરો એમનો
રામ્ભાની લંબાવતા ક્યાંથી દેખાય,
એમણે કાવ્ય
ઉભું જે બા'રને વાટ જોતું
ને નથી પોતે ભજન એ ખાયેલે ઝંખવાતું,
ખોંખારો ખાધો કાવ્યે,
ને જોયું બાપુએ આદિ નજરે,
એ ચશ્માના કાચમાંથી એમણે નરક પણ જોયું હતું,
‘કાત્યું છે તે કદી પૂછ્યું બાપુએ
ક્યારે મેલા ઉપડ્યા છે માથે ?
ક્યારેય ધુમાડો ખાધો છે વહેલી પરોઢનો ચૂલાનો ?
ભૂખમરો વેઠ્યો છે કદી ?
કાવ્ય કહે મારો જન્મ થયો હતો જંગલમાં કોઈ શિકારીને મોઢે,
ને ઉછેર માછીમારને ઝુંપડે
છતાં મને કોઈ કામ ના આવડે હું તો બસ ગાઉ,
પહેલાં મે ગાયું રાજદરબારમાં
ને ત્યારે હતું તે મદમસ્ત સૌન્દર્ય પૂંજ,
પણ હવે રખડું છું શેરીઓમાં અડધું ભૂખે ચોડવાતું,
સારું છે કહ્યું બાપુએ વાંકા સ્મિત સાથે,
પણ મૂકી દેવી પડશે આ ટેવ
ઘડી ઘડી અઘરું બોલવાની,
જઈને ખેતરમાં સંભાળ કોસ હક્નારા બોલે છે શું ?
અને કાંઇ થઈ ગયું ધનનો દાણો
ખેતરમાં રાહ જોતો કે ક્યારે ખેડું આવે !
ને ત્યાજ છાંટણે ભીંજાયેલી ધરતીને ખેડે.