આઝાદીનો અમૃત મહોત્સવ
આઝાદીનો અમૃત મહોત્સવ
મહામૂલે મળેલી આઝાદીને સ્મરીએ,
આઝાદીનો અમૃત મહોત્સવ ઊજવીએ,
સત્ય અહિંસાના પથદર્શક ગાંધી,
એના મૂલ્યોને અનુસરીએ,
નિજ અસ્તિત્વના રક્ષણ કાજે,
ભવ્ય સંસ્કૃતિ નિર્ઝરીએ,
થઈએ પ્રતિબદ્ધ ફરજો નિભાવી,
સૌ જાગૃત નાગરિક બનીએ,
અડધી રાતે મળી હતી આઝાદી,
એ વાત કેમ વિસરીએ ?
આઝાદીનો અમૃત મહોત્સવ ઊજવીએ !
આઝાદીનો અમૃત મહોત્સવ ઊજવીએ !