પીપળો
પીપળો
પીપળો આ વૃક્ષ ભારતમાં બધે જોવા મળે છે. બીજા દેશોમાં તે થતો નથી. વડના ઝાડની જેમ તેનો ઘણો વિસ્તાર થાય છે. તેનો છાંયડો ઠંડક આપનાર હોય છે. ભેજ વાળા અથવા સૂકા પાનખર પ્રદેશનું વિશાળ વૃક્ષ છે. થડ સફેદ હોય છે.
અનેક ગુણોવાળું આ ઝાડ ભારતમાં ઘણું પવિત્ર મનાય છે. "ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું છે. વૃક્ષોમાં હું પીપળો છું." પીપળો પવિત્ર વૃક્ષ છે.
પીપળા પર લાખ ઉગે છે તે રંગના સીલ કરવાના તેમજ દવાના ઉપયોગમાં આવે છે.
તેનો છાંયડો ઉનાળામાં સારી ઠંડક આપે છે.
બળકોની બોબડી વાણી સુધારણા તેના પાકાં ફળ ખાવા આપવા .
ખસ ફોલ્લા વગેરે ચામડીના પરૂવાળા ફોલ્લા પર તેની છાલ પાણીમાં ઘસી ચોપડવાથી મટે છે. મુખ પાક પર પીપળાના કુમળા પાન તથા છાલને વાટીને મધ મેળવી દિવસમાં ત્રણ વાર લગાડવું જોઇએ.
