Purti Trivedi

Drama

2  

Purti Trivedi

Drama

બદલાવ

બદલાવ

4 mins
752


મારાં ભણતર સમયથી એક વાક્ય જે મારાં મન,હૃદય અને કર્મથી નજીક છે અને તેને હુ હંમેશા વાપરું છું તે છે...

There is one thing that remain

parmenent in life is change

આમ જોઈએ તો જીવન મસ્ત ત્યારેજ બને જ્યારે સમયે આવતા બદલાવ ને આપણે સહજતાથી સ્વીકારી લઈએ અને તેના સ્વીકૃતિ સાથે તે દિશામાં આપણે આગળ વધીયે, જો બદલાવ ને ચુક્યા તો દુનિયામાં પોતાની જાત પર વિશ્વાસ કરવો અને કરાવવો ભારે પડે છે, દુનિયા ત્યારે અલગ બનાવેલ તેની કેટેગરી "ઓર્થોડોક્સ" માં વ્યક્તિ ને મૂકી દેતી હોય છે. અને ત્યારે જીવન પણ ક્યાંક નિરસ, સ્વાયત અને ઘડિયાળના કાંટા પ્રમાણે ગોઠવાયેલું જોવા મળે છે, હુ અનુશાસનની સાથે બિલકુલ નથી સરખાવતી કારણ કે તે જીવનનું અભિન્નઅંગ છે અને હોવું પણ જોઈએ પણ સાથે સાથે બદલાવ જીવનમાં પાનખર પછીની વસંતનું કામ કરે છે.

બદલાવ બહુ જરૂરી છે તે તો ખુદ કુદરતજ આપણને શીખવે છે, બસ તેના બદલાવ ને મહેસુસ કરવાની નજર જરૂરી છે, સવાર પડતા કુદરતની આકાશમાં રંગોળી એક રાતથી સવારનો બદલાવ છે પણ શુ દરરોજ સુરજ મશીન ની જેમ એક સરખા કિરણો, આકાશમાં છોડે છે, સૂરજની સાથે પવન, વાદળ, પક્ષીઓ ના કલરવ, ખીલેલા ફૂલોની મહેક, વૃક્ષના પાંદડાની નવી તાજગી, ક્યારેક બધા નો સમન્વય થાય છે ત્યારે દરેક સવાર ખુશનુમા બને છે. બધા એ એક વસ્તુ અનુભવી જ હશે કે જેવી ઉનાળામાંથી ચોમાસાની મહેક શરૂ થાય વાતાવરણમાં આનંદ પ્રસરે છે, તે કુદરતનો બદલાવ છે, શ્રવણ મહિનો ચાલુ થતા બધું બદલાયેલ લાગે છે, તે કુદરતે આપેલ બદલાવ ની નિશાની છે, જ્યારે ખુદ કુદરત પણ બદલાવમાં માનતી હોય તો માણસ કેમ જડવૃત્તિ પકડી રાખે છે.

કુદરત માં થતા બદલાવ ના એક નહિ હજારો ઉદાહરણ છે, નાના નાના ભૂલકા માંથી મોટુ થવું, પા પા પગલી ભરવી, યુવાનીમાં જોશ નું જોમ અને પછી એક જાત ની સમજ કુદરતે આપેલ બક્ષિસ છે, ઋતુચક્ર નો બદલાવ કોને બનાવ્યો, એક દિવસ સ્વેટર પહેરવું પડે જ્યારે ક્યારેક છત્રી અને ક્યારેક ગરમી થી ત્રસ્ત થઈને પંખા શોધવા પડે તે કુદરત બદલાવને સ્વીકારતી હોવાના પુરાવા છે. આવું દરેક ઋતુ, સમય અને સંજોગો માં બને છે.

માણસ જ એક એવો છે કે બદલાવ નો સહજ સ્વીકાર કરતો નથી, ક્યાંક પોતાના જડ વલણ ને પકડી રાખે છે અને તેનો વિરોધ પણ કરતો જોવા મળે છે. પણ ક્યાંક તે પણ કુદરત ના નિયમથી વિરુદ્ધ જઈ રહયો હોય છે, ઇતિહાસ પુરોવો આપે છે કે જે માણસ પોતાનામાં, તેમની રહેણી કહેણીમાં અને ધંધા કે નોકરીમાં, બદલાવ નો સ્વીકાર નથી કરી શકતો તે ક્યાંક ને ક્યાંક પોતાની જાતને દુનિયા ની તાલ થી તાલ મિલાવવામાં પાછળ છે તેવું અનુભવે છે. પ્રગતિ બદલાવ વગર શક્ય જ નથી, અને ક્યાંક થોડુંક ડોકિયું કરીને જોશો તો સમજાશે કે બદલાવ ના સ્વીકારવાનું કારણ પોતાની અંદર બેઠેલ આળસ, નવું ના શીખીને ટાઈમ નહિ ફાળવવાની વૃત્તિ અને પોતાની રોજિંદી ઘડાયેલ પ્રવૃત્તિ છે. શુ કરવા બધું સેટ થયેલ હોય તે બદલાવી ને નવું કરવું તેના કરતા મસ્ત રહો મસ્તી મેં આગ લગે બસ્તી મેં, તેવો અભિગમ આપનાવો સહેલો છે.

પણ સાથે સાથ આપણા સપના નું શુ, આપણા પોતાની સાથે કરેલ વચન નું શુ, જીવનમાં કંઈક કરી છૂટવું છે,કઈ પણ થાય પણ પોતાની છબી ખુદ બનાવી છે, દુનિયા એક સન્માનની નજરે જોવે, પોતાના ઘરના સભ્યો એક હીરો ની કે હીરોઈન ની નજર થી જોવે અને સમાજ માં એક પ્રેરણારૂપ વ્યક્તિ બનાવે તેનું શુ. પોતાના ઘરના સભ્યો ને ક્યારેય કોઈ કમી ના રહે, છોકરા પરિવાર ના એક સભ્ય હોવાનું ગર્વ અનુભવે કારણ કે તેના માતા પિતા તેમનાં માટે બધું કરી છૂટવા તૈયાર છે, તે વિચારધારા નું શુ. ભગવાને બધાને 24 કલાક જ આપ્યા છે અને તે જ સીમિત સમયમાં આપણે એક બદલાવ સાથે ટોચ પર પહોંચી શકીયે અને ઘેટાં બકરાની જેમ બધા કરે તેમ કરી પણ શકીયે.

આ વાત સમજાવટની નથી પણ ખુદને સમજવાની છે કે શુ આપણે પણ આપણી જિંદગીને ઘેટાં બકરાની જેમ જીવવી છે કે દુનિયાના પડકાર ને ઝીલી ને, બદલાવ ને જીવન નો એક જરૂરી અંગ બનાવીને પોતાના, પરિવારના અને સમાજના સારા માટે દુનિયાના બધા પડકારને ઝીલવાની ઓકાત રાખવી છે, અને તેની શરૂવાત આજ, અત્યાર અને આ સેકન્ડથી જ કરવી છે અને કુદરતનો બદલાવનો સંદેશ સ્વીકાર કરીને આપણા જીવનમાં મહેક રૂપી પુષ્પોનો અહેસાસ કરવો છે.


Rate this content
Log in

Similar gujarati story from Drama