અંતરઆત્મા ને પત્ર
અંતરઆત્મા ને પત્ર
ભાડાનું મકાન,
તા.૦૯/૧૦/૨૦૨૦
પ્રતિ,
અંતરઆત્મા
સ્વ તનના ખોરડે,
પ્રિય અંતરઆત્મા,
આજે તું વિચારતી હશે કે તને પત્ર શા માટે લખ્યો ? તો તને થોડી વાતો કેહવાની હતી. જે હું બોલી નથી શકતો પણ તું જરૂર સમજી શકે છે.
તને યાદ જ હશે મારા કેટલાક સપનાઓ અને કેટલીક ઈચ્છાઓ છે. જે અધૂરી રહી ગઈ છે. મારું CA બનવાનું સપનું, સંગીતકાર બનવાની ઈચ્છા અને આ બધા વચ્ચે ભણતરમાં પરિવારનું સુખ. પરિવારની ઈચ્છા મને ભણાવીને મોટો ઓફિસર બનાવવાની અને એમાં પણ પોતાની આર્થિક સ્થિતિ ધ્યાનમાં રાખવાની.
આ પરિવારની પરિસ્થિતિ સામે તું તો સાવ ઢંકાઈ જ ગયો યાર. પણ આજે તારી યાદ આવી. પોતાનામાં પોતાનું સ્વ સાંભર્યું અને તને પત્ર લખ્યો.
"અંતરઆત્મા હું તારું ભાડાનું મકાન."
લિ.રાહુલ પરમાર