પ્રકૃતિની ભેટ પર્યાવરણ
પ્રકૃતિની ભેટ પર્યાવરણ
વાતાવરણ, મૃદાવરણ અને જલાવરણ,
કુદરતની આ અણમોલ ભેટ છે પર્યાવરણ,
ગાઢ જંગલોના વૃક્ષો અને લીલીછમ ધરતી,
સોળે કળાએ ખીલવે છે ધરાને આ પ્રકૃતિ,
ઝેરી વાયુઓને શોષી લે છે અને આપે પ્રાણવાયુ,
પર્યાવરણનું મહત્વ સમજો તો એ છે સૌથી સવાયું,
હવા, પાણી ખોરાક પુરી કરે દરેક સજીવની જરૂરિયાત,
માનો તો પ્રકૃતિમાં કડીરૂપે છે ઈશ્વર સાક્ષાત,
પર્યાવરણને નુકસાન કરીને તેની સમતુલામાં ન પાડીએ ભંગ,
સંવર્ધન કરીએ તેનું તે છે દરેક સજીવનું અભિન્ન અંગ.