પરી લોક
પરી લોક
એક દિવસની વાત છે. પરીઓની દુનિયામાં શાંતિ હતી. બધી પરીઓ બગીચામાં હતી. તો વળી કેટલીક પરીઓ આકશમાં ઉડતી હતી. એવામાં એક દુષ્ટ પરી પરીલોકની શાંતિમાં ઘોંઘાટ ફેલાવા માંગતી હતી. તેણે ઘણી બધી પરીઓને કેદ કરી લીધી. પણ તેણે ખબર ન હતી કે પરીલોકની એક મહારાણી પણ છે.
જયારે બધી પરીઓ કેદ થઈ ગઈ. તો મહારાણીને નવાઈ લાગી કે બધી પરીઓ ક્યાં ચાલી ગઈ. એટલે તેમણે તપાસ કરી. તપાસ કરતાં ખબર પડી કે દુષ્ટ પરી એ બીજી ભલી પરીઓને કેદ કરી છે. તે તેમને ગોતવા લાગી. તપાસ કરતાં ખબર પડી કે એ દુષ્ટ પરીના એક ગુરુ છે. તે પણ દુષ્ટ છે. અને તેમના ઈશારે જ આ પરી પરીલોકમાં અશાંતિ ફેલાવે છે.
મહારાણી પોતાની શક્તિથી કેદ પરીઓને કેદમાંથી મુકત કરાવે છે. પછી બધી પરીઓ મહારાણી સાથે દુષ્ટ પરીને કેદ કરવા જાય છે. ત્યારે એક પરી કહે છે કે પહેલાં આપણે તેણે ગુરુને કેદ કરવા જોઈએ. નહીતો તે દુષ્ટ પરીને બચાવી લેશે. એટલે પરીઓની મહારાણીએ દુષ્ટ પરીના ગુરુ સાથે યુદ્ધ કર્યું. અને યુધ્ધમાં દુષ્ટ પરીના ગુરુને હરાવી દીધા. અને તમેને કેદમાં પૂરી દીધા.
ત્યારબાદ મહારાણીએ દુષ્ટ પરીને પણ પકડી પાડી. તેને સજા આપવા માટે, તેની પરી તરીકેની બધી જ શક્તિ પાછી લઇ લીધી. અને તેને એક સામાન્ય વ્યક્તિ બનાવીને છોડી મૂકી.