Pooja Kalsariya

Inspirational Others

3  

Pooja Kalsariya

Inspirational Others

પ્રામાણિકતા : જીવનનું અમૃત

પ્રામાણિકતા : જીવનનું અમૃત

3 mins
1.5K


"લાલચ એ એવી આગ છે; 

જે કદી શાંત થતી નથી, 

જેમ જેમ તેને સેવતા જઈએ; 

તેમ તેમ તે વધુ ને વધુ પ્રજ્વલિત થતી જાય છે."

જીવન વ્યવહારમાં સુખ પ્રાપ્તિ માટે અંગ્રેજીમાં પણ એક ડહાપણ ભરેલી ઉક્તિ છે. "ઓનેસ્ટી ઈઝ ધ બેસ્ટ પોલિસી" એટલે કે પ્રામાણિકતા શ્રેષ્ઠ પ્રથા છે. છતાં પ્રામાણિક માણસોની સંખ્યા દિવસે દિવસે ઘટતી જાય છે. સંખ્યાનું ઘટવાનું કારણ મનુષ્યની લોભ વૃત્તિ છે.

” લોભ એ માણસનો મોટામાં મોટો શત્રુ છે. "

લોભનાં કારણે માણસ ખોટું કામ કરવા તૈયાર થઈ જાય છે. સમાજમાં અપ્રામાણિકતાનું પ્રમાણ એટલું બધું વધી ગયું છે કે લોકો એને સહજ માનવા લાગ્યા છે. નૈતિકતાનું આવું અધઃપતન ખરેખર ખેદ પમાડે એવું છે. કુદરત દરેક માણસને તેની લાયકાત મુજબ સ્થાન આપે છે અને જરૂરિયાત જેટલું ધન આપે છે. મનુષ્યને તેની મહેનત જેટલું વળતર મળે છે. આટલાં વળતરમાં ઘણા લોકો ખુશીથી તેમનો જીવનનિર્વાહ કરે છે. કેટલાક લોકો આળસુ અને લોભી હોય છે. તેમને કામ કરવામાં ઓછો અને પૈસા મેળવવામાં વધુ રસ હોય છે. તેમને લાયકાત અને મહેનતનાં પ્રમાણમાં જે મળે છે તેનાથી તેમને સંતોષ થતો નથી. તેને વધુ ધન-દોલત અને સુખ-સગવડ જોઈએ છીએ. તે પણ મહેનત કર્યા વગર અને ઝડપથી. આ લોકો અધિકાર કરતાં વધારે સંપત્તિ મેળવવા માટે અપ્રામાણિકતા આયરે છે. માણસને કદાચ ભૌતિક સુખ આપી શકે પરંતુ મનની શાંતિ તો ન જ આપી શકે.

" લોભ એ પતનની સાંકળ છે,

 પ્રામાણિકતા એ સફળતાની સાંકળ છે. "

ખોટી રીતે કમાયેલું ધન ચોરી, લૂંટ, કુદરતી આકૃત, આગ, અકસ્માત, વ્યસન કે જીવલેણ બીમારી જેવી સમસ્યાઓને નોતરું આપે છે અને પોતાનો રસ્તો કરી લે છે. સરકારની નજર પડી જાય તો બધી મિલકત જપ્ત કરી લે અને જેલની સજા થાય. સમાજમાં બદનામી થાય અને કુટુંબીજનોની નજરમાં નીચે પડી જવાય. સાથે કરીને આવી ઉપાધિ ઊભી શા માટે કરવી ? તેના કરતાં 'સંતોષી નર સદા સુખી' નો સિદ્ધાંત જ સૌથી સારો છે. આપણી મહેનતનું જે વળતર મળે તે જ પૂરતું છે. મારે ધનની જરૂર હશે તો હું વધુ મહેનત કરીશ. પ્રામાણિકતાનું આચરણ કરવાથી સુખ-સગવડો કદાચ ઓછા મળશે પરંતુ નિરાંત અને શાંતિ તો વધારે જ મળશે. વ્યક્તિની પ્રામાણિકતા સાથે માત્ર તેનું એકલાનું જ નહીં પરંતુ પરિવાર, સમાજ અને દેશનું હિત જોડાયેલું છે. દેશમાં રહેલી સંપત્તિ મારા એકલાની નથી, તમામ દેશવાસીઓની પણ છે. આપણે પ્રામાણિક રહીએ અને હક વગરનું ધન ન લઈએ તો જ સૌને તેનાં હિસ્સાનું ધન મળી શકે. સૌને તેમનો હિસ્સો મળે તો સૌ સુખી થાય.

" અપ્રામાણિકતાએ ઉપાધિનું આમંત્રણ પત્ર છે. "

સૌ સુખી અને નિરોગી રહે એ આપણી સંસ્કૃતિનો મુદ્રાલેખ છે. બીજાઓ પાસે અપેક્ષા રાખવાને બદલે મારે મારાથી જ સારી શરૂઆત કરવી જોઈએ. એટલે કે હું સુધરુ તો જ દેશ સુધરશે.

હું પ્રામાણિક હોઈશ તો બીજા પ્રામાણિક થશે. અપ્રામાણિકતાથી કદાચ ક્ષણિક સુખ મળતું હશે પણ લાંબાગાળે તો દુઃખ જ દુઃખ મળે છે. જ્યારે પ્રામાણિકતાથી તો માત્ર સુખ જ સુખ મળે છે.

જીવનમાં પ્રામાણિકતાનું આ મહત્વ સૌએ સમજવું જોઈએ તો બધાં સુખપૂર્વક જીવી શકે. માનવજીવન સફળ જ નહીં, સાર્થક બનાવી શકીએ.

" પ્રમાણ આપું હું મારા જીવનને મારી પ્રામાણિકતાનું

  મંજૂર છે ફક્ત મને મારી મહેનતનું ફળ. "


Rate this content
Log in

Similar gujarati story from Inspirational