અર્થ અનર્થ
અર્થ અનર્થ
केशवं पतितं दृष्ट्वा द्रोणो हर्षमुपागतः।
कौरवाः सर्वे रुदन्ति हा! हा! केशव! केशवः॥
આ શ્લોક મહાભારતનો નથી. આ એક આધુનિક સંસ્કૃત પહેલી (riddle) અથવા લોક-વ્યુત્પત્તિ (folk etymology) છે. ગીતાપ્રેસ સંસ્કરણ કે કોઈ પણ પ્રામાણિક મહાભારત પાઠમાં આ શ્લોક મળતો નથી. વ્યાસ-ગણેશ સંવાદની પ્રસિદ્ધ કથા (જ્યાં ગણેશ વિના રોક્યા લખે છે અને વ્યાસ ગૂઢ શ્લોક બોલીને સમય લે છે) મહાભારતના આદિ પર્વના કેટલાક પરંપરાગત આખ્યાનોમાં છે,
આ શ્લોક સાંભળતાં જ મન ચોંકી ઊઠે. કેશવ એટલે શ્રીકૃષ્ણ! તો શું શ્રીકૃષ્ણ પડી ગયા? અને તેમને પડેલા જોઈને દ્રોણાચાર્ય આનંદિત કેમ થયા?
અને કૌરવો—જેઓ શ્રીકૃષ્ણના વિરોધી પક્ષમાં હતા—તેઓ “હા! હા! કેશવ! કેશવ!” કહીને રડવા કેમ લાગ્યા? પ્રશ્નો એક પછી એક ઊભા થાય. પણ અહીં જ શબ્દ પોતાનું બીજું મુખ ખોલે છે.
અને અર્થ... અનર્થ બની જાય છે.
સમ્પૂર્ણ મહાભારતમાં કૃષ્ણ તો ક્યાંય પડ્યા નથી અને જો ક્યાંય પડ્યા પણ હોય તો કૃષ્ણને પડતા જોઈને દ્રોણ હર્ષથી કેમ ઊછળી પડશે? અને તો અને શત્રુ પક્ષના દુષ્ટ કૌરવ હા! હા! કેશવ! કેશવ! કરીને કેમ રોઈશે…?
કિંતુ અહીં તેમનો અર્થ છે.
કેશવ:
પારંપરિક અર્થ: ભગવાન વિષ્ણુ અથવા કૃષ્ણ (કઃ + ઈશઃ + વઃ)।
સંશોધિત/વ્યાવહારિક અર્થ: “કે” (સપ્તમી વિભક્તિમાં ‘જળમાં’ અથવા ‘પાણી પર’) + “શવમ્” (મૃત શરીર અથવા લાશ)। અર્થાત્ જળરાશિમાં તરતી અથવા પ્રવાહિત લાશ.
દ્રોણ:
પારંપરિક અર્થ: આચાર્ય દ્રોણાચાર્ય, જે કૌરવ-પાંડવ સેનાના ગુરુ હતા.
સંશોધિત/વ્યાવહારિક અર્થ: લોક-નિરુક્તિ અથવા પક્ષી-વાચક સંદર્ભમાં કાગડો (Crow) અથવા કાગ. (સંસ્કૃતમાં ‘દ્રોણકાક’ અથવા કાક-વિશેષનો સંદર્ભ મળે છે, જે મરેલા જીવોના માંસ પર આશ્રિત હોય છે).
કૌરવ:
પારંપરિક અર્થ: ધૃતરાષ્ટ્રના સો પુત્રો અને તેમની સેના.
સંશોધિત/વ્યાવહારિક અર્થ: વ્યુત્પત્તિની દૃષ્ટિએ કુરુક્ષેત્રની ભૂમિ પર વિચરતા માંસાહારી વન્ય જીવ, વિશેષ કરીને શિયાળ (Jackal) અથવા શૃગાલ, જે યુદ્ધના મેદાનમાં મરેલા સૈનિકોના અવશેષોના મુખ્ય ઉપભોક્તા હતા.
કુરુક્ષેત્રની ભૂમિ પર અઢાર દિવસનું પ્રલય થમી ચૂક્યું હતું. સૂર્ય હજુ પણ ગગનમાંથી આગ વરસાવી રહ્યો હતો, પરંતુ ધરતી પર આગ કરતાં વધુ રક્ત અને લાશોની ભરમાળ હતી. તે કોઈ સામાન્ય રણક્ષેત્ર નહોતું, હકીકત માં અધર્મ ના અતિરેકે કરેલો વિનાશ હતો. જે સ્મશાન રૂપે પરિણમ્યો હતો.
લાખો યોદ્ધા ધરાશાયી થઈ ચૂક્યા હતા. ચિતાઓ સજાવવા માટે ન તો હવે જંગલ બચ્યા હતા અને ન તો જીવતા બચેલા હાથોમાં એટલી શક્તિ કે તેઓ પોતાનાંનું અંતિમ સંસ્કાર કરી શકે. યુદ્ધની વિભીષિકા એટલી વિકરાળ હતી કે રાજાઓ અને સૈનિકોના શવોના ઢગલા ના ઢગલા તેમ જ પડ્યા સડી રહ્યા હતા. અંતે, મહામારી અને દુર્ગંધથી બચવા માટે એક જ ઉપાય બચ્યો હતો—લાખો મૃત શરીરોને પાસેની જળધારાઓ અને નદીઓમાં પ્રવાહિત કરી દેવા.
તેના લીધે નદીઓ લાલ થઇ હતી, અને તેમનો પ્રવાહ મૂક લાશોના બોજથી ચીસો પાડી રહ્યો હતો.
આકાશમાં કાળા વાદળોની જેમ મંડરાતા દ્રોણ (કાગડા) ખુશીથી પાગલોની જેમ કાંવ-કાંવ કરી રહ્યા હતા. એક કાગડાએ જ્યારે પાણીના થપેડા ખાતી અનગણિત લાશોના તરતા કાફલાને જોયો, ત્યારે તેનું કાલેજું ગર્વ અને હર્ષથી ભરાઈ ગયું. તેના માટે આ મહિનાઓનું ખુલ્લું આમંત્રણપત્ર હતું. તે પાંખ ફફડાવતો આકાશમાં ગોળ ગોળ ચક્કર મારવા લાગ્યો અને હર્ષોન્માદમાં ચીસ પાડી ઊઠ્યો—જુઓ, જળમાં કેવો પ્રચુર આહાર વહી રહ્યો છે!
પરંતુ , જમીનની સ્થિતિ બિલકુલ ઊલટી હતી.
તટની ભીની અને લોહીથી સનાયેલી માટી પર કૌરવ (જંગલના શિયાળ અને શૃગાલ) ફરી રહ્યા હતા. તેમની આંખો ભૂખથી લાલ હતી. તેમણે પાણીના તેજ પ્રવાહમાં તરતી તે અનગણિત લાશોને પોતાની આંખો સમક્ષ વહેતી જોઈ વળી માંસનો એવો અંબાર, જેને તેઓ દૂરથી સૂંઘી તો શકતા હતા, પોતાની જીભથી અનુભવી પણ શકતા હતા, પણ પામી શકતા નહોતા.
શિયાળને તરવું આવડતું નહોતું. તે ઊંડું થતું પાણી અને તેની તેજ ધારા તેના માટે એક અભિશાપ બની ચૂકી હતી.
સામે પ્રચુર ભોજન હતું, જીવનભરનું સૌથી મોટું શિકાર હતું, પણ વચમાં પાણીનું અવરોધ હતું. તે લાચારી અને તે અસહ્ય લાલચે શિયાળની ચીસને એક અમાનવીય વિલાપમાં બદલી નાખી. તે પાણી તરફ જોઈને પોતાનું માથું કુટી કુટી ને રોવા લાગ્યો.
“હા! હા! કેશવ! કેશવ!” (અર્થાત્: હાય! હાય! લાશ પાણીમાં છે! લાશ પાણીમાં છે! કાશ આ જમીન પર હોત, તો અમે મહિનાઓ સુધી તૃપ્ત થઈને ખાત!)
તે શાંત અને વીરાન સાંજે કુરુક્ષેત્રના તટ પર ગૂંજતી શિયાળોની તે ચીસ અને કાગડાઓની તે વિજય-ઘોષણા, મનુષ્યના તે મહાયુદ્ધનું સૌથી મોટું અને વ્યંગ્યાત્મક સત્ય હતું. મનુષ્યે યુદ્ધ રાજાઓના નામે લડ્યું, પ્રતિષ્ઠાના નામે લડ્યું, અને અંતે તેના આ અહંકારનો ઉત્સવ મનાવવા માટે પ્રકૃતિના આ નાના-નાના અપમાર્જક જ બચ્યા રહ્યા—એક જે આકાશથી ઊડીને મજા લઈ રહ્યો હતો, અને બીજો જે તટ પર ઊભો રહીને માત્ર આંસુ વહાવી રહ્યો હતો.
न जातु कामान्न भयान्न लोभाद्धर्मं त्यजेज्जीवितस्यापि हेतोः।
नित्यो धर्मः सुखदुःखे त्वनित्येनित्यो जीवो धातुरस्य त्वनित्यः॥ વિદુરનીતિ
કામ, ભય કે લોભને કારણે ક્યારેય ધર્મનો ત્યાગ ન કરવો, પછી ભલે જીવન જાય. ધર્મ નિત્ય છે, સુખ-દુઃખ અનિત્ય છે. જીવ નિત્ય છે, શરીર અનિત્ય છે.
