આત્મઘાતી
આત્મઘાતી
આત્મઘાતી
मा कदापि परं ताडय इत्थं यथा स विद्रोहं कुर्यात् ।
अत्यधिकं पीडनं हि जनयति प्रतिकारं, स्वयंघातं वा विद्रोहं वा ॥
કોઈને ક્યારેય એટલું દુઃખ આપશો નહીં કે તે વિદ્રોહી બની જાય. અતિરેકની પીડા હંમેશા પ્રતિકારને જન્મ આપે છે – ક્યારેક તો તે વ્યક્તિ પોતાનું જીવન જ સમાપ્ત કરી નાખે છે, તો ક્યારેક તે વિદ્રોહ કરી ઊઠે છે અને વિરોધ કરે છે.
એક વખતની વાત છે, અમદાવાદના હૃદયમાં વસેલી એક પ્રતિષ્ઠિત શાળા ‘સરસ્વતી વિદ્યામંદિર’માં. વસંતની ઋતુમાં સૂર્યનાં કિરણો જેમ વર્ગખંડમાં પ્રવેશતાં હતાં, તેમ જ શિક્ષણ વિભાગના કડક નિરીક્ષક શ્રી અરવિંદ પટેલ પણ અચાનક નિરીક્ષણ માટે આવી પહોંચ્યા. તેમની આંખોમાં રાજકીય અધિકારીનો રૌદ્ર અને વિદ્યાર્થીના મનમાં ભયનો સંગમ હતો. શાળાના વર્ગખંડોમાં એક અજીબ સ્તબ્ધતા છવાઈ ગઈ.
સીધા જ ગુજરાતી વિષયના વર્ગમાં પ્રવેશી ગયા. ત્યાં અધ્યાપિકા શ્રીમતી રેખા દેસાઈ ઊભી હતી. તેમના ચહેરા પર વિદ્યાર્થીઓના પ્રશ્નોના જવાબોની તૈયારીની ચમક હતી. અરવિંદ પટેલને જોતાં જ તેઓ એ હસીને અભિવાદન કર્યું.. તેમના હૃદયમાં એક ક્ષણ માટે સ્વાભિમાનનું તરંગ ઊઠ્યું. પરંતુ અરવિંદ પટેલે રૌબદાર અવાજે પૂછ્યું: “મેડમ, ‘પોતાના પગ પર કુલ્હાડી મારવી’ એ રૂઢીપ્રયોગનો વાક્યપ્રયોગ કરીને સમજાવો.”
રેખાબહેને થોડી ક્ષણો વિચાર્યા અને આત્મવિશ્વાસથી કહ્યું: “મેં મારી દીકરીને દસમા ધોરણમાં મોબાઈલ આપીને પોતાના પગ પર કુલ્હાડી મારી છે.”
નિરીક્ષકે માથું પીટીને કહ્યું: “આ તો સમજી-વિચારીને કૂવામાં કૂદવા જેવી વાત છે! કોઈ સાચો અને સચોટ ઉદાહરણ આપો.”
“अज्ञानात् बलवान् क्रोधः, क्रोधात् कर्म विनश्यति ।”
અજ્ઞાનથી ક્રોધ બળવાન બને છે અને ક્રોધથી કર્મનો વિનાશ થાય છે.
પરંતુ રેખાબહેને હજુ આ વાત સમજ્યાં ન હતાં.
તેઓ ફરી વિચારમાં ડૂબી ગયાં. તેમના મનમાં એક યાદ તરી આવી અને તેમણે કહ્યું: “રામુભાઈએ પોતાની પત્નીને ક્રેડિટ કાર્ડ આપીને પોતાના પગ પર કુલ્હાડી મારી છે.”
અરવિંદ પટેલ હસી પડ્યા અને બોલ્યા: “આ તો ‘મજબૂરીનું નામ મહાત્મા ગાંધી’ તેના જેવી વાત છે! પત્નીને કાર્ડ આપવું તો પતિની અનિવાર્ય મજબૂરી છે. કોઈ વાસ્તવિક અને સાચું ઉદાહરણ આપો!”
રેખાબહેનના મનમાં હવે તેમના પતિની એક વાત તરી આવી. તેઓ હળવેથી મલકીને બોલ્યાં: “કાલે જ મારા પતિ કહેતા હતા કે, ‘તમારી સુંદરતા પર મોહિત થઈને હું તમારી સાથે લગ્ન કરી બેઠો અને પોતાના પગ પર કુલ્હાડી મારી લીધી.”
નિરીક્ષક જોરથી હસ્યા અને કહ્યું: “મેડમ! આ તો ‘આંખનો અંધો નામ નેનસુખ’નું ક્લાસિક ઉદાહરણ છે. અહીં કુલ્હાડી નથી, માત્ર સૌંદર્યનો ભ્રમ છે!”
હવે રેખાબહેનનું ધીરજ ખોઈ બેઠા, તેના ચહેરા પર ગુસ્સો ફરી વળ્યો. વર્ગખંડમાં વાતાવરણમાં ગંભીર શાંતિ ચવાઈ ગઈ.
પગ પર કુલ્હાડી મારીને,
મનનું માન ગુમાવ્યું છે,
પણ હાસ્યની લહેરોમાં,
સત્યનું દર્પણ દેખાય છે.
ક્રોધની આગમાં બળતા,
શિક્ષકનું હૃદય રુદન કરે,
પણ નિરીક્ષકની આંખે,
પોતાની ભૂલનું પડછાયું પડે!
રેખાબહેને ગુસ્સાથી કહ્યું: “આ શાળામાં શિક્ષિકા બનીને મેં પોતાના પગ પર કુલ્હાડી મારી છે!”
નિરીક્ષકે ચુટકી લીધી: “આ તો ‘નાચ ન જાણે આંગણ ટેઢું’ જેવી વાત છે! અહીં કુલ્હાડી ક્યાં છે? વાસ્તવિકતા કહો, મેડમ!”
બસ, હવે રેખાબહેનનું મસ્તક ફરી ગયું. તેમનું રૌદ્ર સ્વરૂપ પ્રગટ થયું. તેઓ એક્શન મોડમાં આવી ગયાં અને ગુસ્સાથી ફાટી પડ્યાં: “મારી સાથે વધુ ત્રણ-પાંચ ન કરો, નહીં તો હું તમારી રાઈનો એવો પહાડ બનાવીશ કે દિવસમાં તારા દેખાઈ જશે! ચૂપચાપ અહીંથી નવ દસ ગ્યારહ થઈ જાઓ, નહીં તો આજે... અહીં... સાપ પણ મરશે અને લાઠી પણ નહીં તૂટે...!”
આ ભયંકર રૌદ્રરૂપ જોઈને અરવિંદ પટેલ ઘડીભર માટે સ્તબ્ધ થઈ ગયા. તેમનું મોં ખુલ્લું રહી ગયું. તેમણે મનમાં વિચાર્યું: “ઓહો, લાગે છે કે આજે મેં જાણી-જોઈને પોતાના પગ પર કુલ્હાડી મારી લીધી!”
વખત જોઈ અરવિંદભાઈ પોબારા ભણી ગયા.
“स्वकृतं कर्म भुङ्क्ते मनुष्यः, नान्यकृतं कदाचित् ।”
માણસ પોતાનું કરેલું કર્મ જ પોતે ભોગવે છે, ક્યારેય પરાયું નહીં.
આ ઘટના પછી શાળાના વિદ્યાર્થીઓએ પણ રૂઢીપ્રયોગનો અર્થ સમજ્યો. તેઓ હસતા-હસતા બોલતા: “આજે નિરીક્ષક સાહેબે પોતાના પગ પર કુલ્હાડી મારી!” વાર્તા પૂરી થાય છે ત્યારે મનમાં એક વિચાર આવે છે – જીવનમાં ક્યારેક આપણે જાણી-જોઈને પોતાના પગ પર કુલ્હાડી મારીએ છીએ, પરંતુ તે જ ક્ષણે જીવનનું સૌથી મોટું પાઠ પણ શીખીએ છીએ. આવી જ સરસ્વતીના આશીર્વાદથી શિક્ષણની પરંપરા અને માનવીય સંબંધોની મજબૂતી સદાય જળવાઈ રહે.
अतिपीडनं न कर्तव्यं कस्यचित् प्राणिनोऽपि हि।
पीडितो दुःखसन्तप्तो विनाशायैव धावति॥
