મિત્રતા
મિત્રતા
શ્રી કૃષ્ણ સુદામા મિત્રો હતાં
સાંદિપની ઋષિના આશ્રમમાં
બન્ને બાળકો ભણતાં હતાં
સુદામા "શ્રી દામ" નામે હતા
શ્રી રૂપે દામ મળે તો પણ એ
ક્યારેય ક્યાં સ્વીકારતા હતાં
ગરીબ છે લોકો કહેતા હતાં
શ્રી કૃષ્ણ હોય જેના મિત્ર એ
તમે કહો કેમ ગરીબ હતા ?
શિક્ષા પૂર્ણ કરી અલગ થયાં
ઈશ્વરને સમજાવવો ભૂપોને
એ માટે બન્ને કટિબદ્ધ થયાં
સુદામા ઈશ્વરમાં વ્યસ્ત થયાં
પહોંચાડી દેવા વિચાર મનડે
માનવ માનવમાં તત્પર હતાં
સુશીલા કામમાં સુશીલ હતાં
આપવા પતિ સુદામા સાથ એ
નિત સંસ્કારી નાર તૈયાર હતાં
નાના માણસ સુધી જતાં હતાં
તો ભૂપોને સમજાવવા પણ એ
મિત્ર શ્રી કૃષ્ણ કામ કરતાં હતાં
કર્મ શ્રી કૃષ્ણને વાગોળવા ગયા
દ્વારપાળે લીધું સુદામા નામ એ
શ્રી કૃષ્ણ ઉઘાડા પગે દોડ્યાં હતાં
મિત્ર છે અંગત રાણીઓને કહ્યા
કરો પૂજા મુજ અમૂલ મિત્ર એ
તમામને શબ્દો આ જ કીધા હતાં
પ્રણામ સોળ હજાર સામે હતાં
અરે કૃષ્ણ ક્યારે થશે બધુ એ
તું જ ધો પગ શબ્દો કહ્યા હતાં
શ્રી કૃષ્ણને હક્કથી કહેતાં હતાં
સુદામા જ મિત્ર મળે કૃષ્ણ એ
વળગી શબ્દો હર્ષથી કહ્યા હતાં
શિલ્પધ્રુવ ના કહે શાસ્ત્રનાં હતાં
આ જે કહ્યું સાર મિત્રતાનો એ
તત્વચિંતક એને વાગોળતા હતા
