ગાંઠીયા અને ચાની દુકાન
ગાંઠીયા અને ચાની દુકાન
અચાનક..મેં કારને બ્રેક મારી.
મારાથી બૂમ પડાઈ ગઈ.ઓ ...દાદા રસ્તા વચ્ચે..
મરવા નીકળ્યા છો..? આવી રીતે રોડ ક્રોસ થાય ?
અચાનક બ્રેક ના મોટા અવાજ માત્રથી દાદા નીચે પડી ગયા.
હું નીચે ઉતર્યો. દાદાનો હાથ પકડ્યો. દાદા નો હાથ ગરમ.. ગળે ને માથે હાથ મૂક્યો...એ પણ એકદમ ગરમ.. દાદા તાવ થી ધ્રૂજતા હતાં... મને મારા બોલવા ઉપર પસ્તાવો.. થયો.
મેં દાદાનો હાથ પકડી કારમાં બેસાડ્યા. દાદા આટલો તાવ હોવા છતાં.. રસ્તા વચ્ચે એકલા કેમ નીકળો છો.
અત્યારે જ મારી સાથે દવાખાને ચાલો અને તમારા પરિવારના કોઈ સભ્યનો નંબર આપો..હું..તેને દવાખાને..બોલાવી લઉં.
દાદા..ભીની આંખે મારી સામે જોતા રહ્યાં.
મેં કીધું..દાદા..એકલા રહો છો ?
હા.એટલું જ બોલ્યા...
પરિવાર મા કોઈ...?
કોઈ નથી...પત્ની હતી પણ વર્ષ પહેલાં આકાશ સામે હાથ કરી બોલ્યા...
હું..અમારા ફેમિલી ડૉક્ટર પાસે લઈ ગયો.
ડૉક્ટર મારી સાથે દાદા ને જોઈ બોલ્યા... પંડ્યા દાદા..
આરામ કરવાનું કીધુ..હતું...ફરીથી એકલા બહાર નીકળ્યા..?
મેં ડૉક્ટર સામે જોઈ કીધુ. તમે ઓળખો છો દાદા ને ?
હા.. સારી રીતે...હું તેમનો પણ ફેમિલી ડૉક્ટર છું. આતો અમારા પંડ્યાદાદા..છે...
ડૉક્ટર..દાદાનો તાવ..માપી..કીધુ. દાદા ની ઉમ્મર પ્રમાણે...દાખલ કરવા હિતાવહ લાગે છે.
પણ તેનો પરિવાર ?
ડૉક્ટર તેની રૂમની અંદર મને લઈ ગયા...અને કીધુ.. દીકરો વહુ છે.. પણ તેમનાથી જુદા થઈ ગયા છે. દાદાને ગાંઠિયા બહુ ભાવે... છે...દીકરો વહુ...ગાંઠિયા લાવે નહીં. ઝાડા થશે તો કોણ સાફ કરશે..એવી દલીલો કરે.
ઘડપણ છે..જુદું..જુદું ખાવાની ઈચ્છા પણ થાય. દાદા ને અઠવાડીયામાં બે વખત ગાંઠિયા જોઈએ...જ..એ પોતાની જાતે વ્યવસ્થા કરી ગાંઠિયા ખાઈ લેતા...
ત્યાં સુધી વાંધો ન હતો.
એક દિવસ..દીકરો વહુ બોલ્યા..તમારી તમામ મિલ્કતો અમારે નામે કરી દો..દાદા એ કીધુ..હું..મરી જાઉ પછી..મિલકત તમારી જ છે. મારા જીવતા એ નહીં બને.
દીકરો કહે કેમ ના બને ?
દાદા...કહે..તું નોકરી એ લાગ્યો..લગ્ન કર્યા. ભણાવી ને તૈયાર અમે કર્યો..અત્યારે પગાર મારા ખાતામાં જમા કરાવે છે...કે તારા ખાતા માં ?
રોકાણ કે ફિક્સ..મારા નામે લે છે..કે તારી પત્ની અને બાળકો ના નામે ? કોઈ દિવસ મારા માટે ધોતી..કે તારી માઁ માટે સાડી લાવ્યો ?...જો તું બધું તારા પરિવારનું વિચારતો હોય..તો મારે પણ મારૂ કેમ ન વિચારવું ?
બસ. આ નાની બાબત ઉપર દીકરા વહુ જુદા થઈ ગયા. એક વર્ષ પહેલાં તેમના પત્ની ગુજરી ગયા..દાદા..એકલા પડી ગયા . આમ તો હું કોઈ ના ઘરે વિઝીટમાં નથી જતો..પણ દાદા નો ફોન આવે એટલે કામ પડતા મૂકી હું તેમની તબિયત જોવા જતો..કારણ કે તમણે મારા ઉપર વિશ્વાસ મુક્યો હતો.
ડોક્ટર દાદા સામે જોઈ બોલ્યા.. દાદા.ગાંઠિયા ખાવા બહાર નીકળ્યા હતાં ? દાદા..આવા તાવમાં પણ હસી પડ્યા...
હું બાજુ માં ગયો...માથે હાથ ફેરવી કીધું પછી ગાંઠિયા ખાધા કે નહીં ?...ગાંઠિયા નો તાવ હોય તો કહો હું લઈ આપું...
દાદા.એ મારો હાથ પકડી..કીધુ..બેટા 100ગ્રામ.
મેં ડોક્ટર સામે જોયું.
ડોક્ટર સાહેબ...હસી ને મને હા પાડી ..એમણે દાદા ને અંદર ના રૂમમાં સુવાડી.. ઇંજેકશન આપ્યું.. અને કહ્યું. આરામ કરો..ત્યાં...સુધીમાં..પ્રતિકભાઈ ગાંઠિયા લઈ આવે...
હું ઝડપ થી ગાંઠિયા લેવા ગયો...ગાંઠિયા લઈ ને હું પાછો આવ્યો...ડોક્ટર મારી રાહ જોતા હતાં. હું દોડી અંદર ગયો...ડોક્ટર કહે..રહેવા દો.
મેં કીધું..કેમ શુ થયું..? સાહેબ
દાદા...હવે આ દુનિયામાં નથી રહ્યા. મારા હાથમાંથી ગાંઠિયા નું પેકેટ નીચે પડી ગયું..!
ફક્ત એક..કલાક ના અજણયા સંબંધો હતાં છતાં..પણ હું..મારા આંસુ ને રોકી શક્યો નહીં.
જે માઁ બાપે પોતાની જાત સંતાનો પાછળ ઘસી નાખી હોય...એ આવી રીતે ઘડપણમાં તેમને તરછોડી કઈ રીતે જઈ શકતા હશે ?
મેં ઑફિસે ફોન કરી.કીધુ.આજે..મારા દાદા નું શ્રાદ્ધ..છે..હું ઑફિસે નહીં આવી શકું.
ડોક્ટર સાહેબ...બોલ્યા..ભાઈ પ્રતિક. તેં એક..માનવતાનું કામ કર્યું છે..આજે મારૂ દવાખાનું પણ દાદા ના માનમાં બંધ રહેશે.
ડોક્ટર સાહેબ બોલ્યા. પ્રતિકભાઈ...તેમનો અંતિમ સંસ્કાર કરવાનો આપણો કાયદાકીય અધિકાર નથી.
તેમના પુત્ર નો મોબાઈલ નંબર મારી પાસે..છે આપણે તેને જાણ કરી દઈએ.
અગત્યની વાત એ છે...દાદા એ તેમના વકીલનો નંબર ડોક્ટર સાહેબ ને આપી ને ગયા હતાં...અને કીધુ હતું...મારા દેહાંત પછી...મારી અંતિમ ઈચ્છાઓ પ્રમાણે વિલ મેં બનાવ્યું છે...તે ઈચ્છા પૂરી કરવા ની જવાબદારી ડૉકટર સાહેબ તમારી..છે..
મારો મૃત્યુ પછી વકીલ તમને ફોન કરશે.
દાદા ના વિલ પ્રમાણે..તેમની મિલકત નો 75% હિસ્સાની રકમમાંથી એક ગાંઠિયા અને ચા ની દુકાન ખોલવી..ત્યાં રોજ..ઘરડા અને ગરીબ વ્યક્તિ ને..મફતમા ચા અને ગાંઠિયા મળે તેવી વ્યવસ્થા કરવી.
ગાંઠિયાની દુકાન નું નામ મારા અને મારી પત્ની નામ ઉપરથી રાખવું.
બાકી ના 25 % રકમમાંથી ગરીબ વ્યક્તિઓને તમારે દવા આપવી.
મેં કીધું...વાહ દાદા..વાહ...
આનું નામ સાચું દાન... મંદિર મસ્જિદ...કે ધાર્મિક સ્થાન કે આશ્રમોને રૂપિયાની જરૂર નથી...જરૂર સમાજ ને છે.
આપણા મર્યા પછી...શ્રાદ્ધ કરવું હોય તો કરે ...ન કરવું હોય તો કાંઈ નહીં. જીવતા સાચવો...સ્વર્ગમાં કોઈ ટિફિન વ્યવસ્થા નથી.
મરતી વખતે ગંગા જળની કોઈ જરૂર તેઓને નથી..
ઘરડી વ્યક્તિઓને ભાવતી વસ્તુ તેમના જીવતા આપો.
એટલે એ તૃપ્ત થઈ જશે.