હું
હું
જો હું એકાદ વ્યક્તિનું હૈયું ભાંગતુ બચાવી શકું,
તો મને લાગે છે કે હું તદ્દન નિરર્થક નથી જીવી,
જો હું એકાદ જિંદગીની વેદના ઓછી કરી શકું,
તો મને લાગે છે કે હું તદ્દન નિરર્થક નથી જીવી,
કોઈની પીડાને થોડી હળવી કરી શકું,
તો મને લાગે છે કે હું તદ્દન નિરર્થક નથી જીવી,
અગર કોઈ એકાદ મૂર્છિત પંખી ને પણ,
જો તેના માળામાં પાછું મૂકી શકું,
તો મને લાગે છે કે હું સાવ નિરર્થક નથી જીવી.