પ્રમાણિકતાની પરખ
પ્રમાણિકતાની પરખ
એક સુંદરવન નામનું નાનકડું ગામ હતું. ત્યાં એક ચિત્રકાર રહેતો હતો. તેનું નામ બાબુલાલ હતું. તે ઘણો જ મહેનતુ અને ઈમાનદાર હતો. અને એટલે જ તે પ્રમાણમાં ગરીબ પણ હતો. તે કલર કામ કરવાનું અને ચિત્રો દોરવાનું કામ કરતો હતો. તે લોકોના ઘરે ઘરે ફરીને કલરકામ અને રંગરોગાનનું કામ કરતો હતો. એ રીતે મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતો હતો.
એક વાર તેણે એ ગામના એક જમીનદારે પોતાના ઘરે બોલાવ્યો. અને કહ્યું,
‘બાબુલાલ તું મારી આ હોડીને કલર કરી આપ. હું તને પૈસા આપીશ. પણ આ કામ આજે જ થઈ જવું જોઈએ.’
બાબુલાલે કહ્યું, ‘હા જમીનદાર સાહેબ આ કામ આજે જ થઈ જશે. કામ મળવાથી ચિત્રકાર બાબુલાલ ઘણો ખુશ થયો. જમીનદારે તેને પૂછે છે કે ‘આ હોડીને કલર કરવાના કેટલા પૈસા થશે ? ત્યારે બાબુલાલ કહે છે કે, ‘જમીદાર સાહેબ કલર અને મજૂરી બધા થઈને પંદરસો રૂપિયા થશે. જમીનદારે હા પડી અને બાબુલાલે કામ શરુ કર્યું.
તેણે મન લાગવાની હોડીને ક્લર કરવાનું શરુ કર્યું. કલર કરતાં કરતાં બાબુલાલ જુએ છે, કે હોડીમાં કોઈ એક જગ્યાએ છેદ હોય છે. તે પોતાનું કલર કરવાનું કામ બાજુ પર મૂકી એ હોડીનો છેદ પૂરવાનું કામ કરે છે. છેદ બરાબર પુરાઈ ગયા પછી તે કલર કરે છે.
કલર કામ પૂરું થવામાં રાત પડી જાય છે. અંધારું પણ થઈ જાય છે. એટલે બાબુલાલ પોતાના ઘરે જાય છે. મનમાં એવું વિચારે છે કે સવારે આવીને પૈસા લઈ જઈશ. અને એ જ રાતે જમીનદારના બંને દીકરા એ હોડી લઈને નદીના પાણીમાં રમવા માટે જાય છે.
સવારે બાબુલાલ જમીનદાર પાસે આવે છે. અને કહે છે, ‘હોડી ક્યાં ગઈ ?’
જમીનદારકહે છે, કે ‘હોડી તો મારા બંને દીકરા લઈને નદીમાં ગયા છે.’
ત્યારે બાબુલાલ બે હાથ જોડી ભગવાનનો અભાર મને છે. બાબુલાલને આમ કરતાં જોઈએ જમીનદારને નવાઈ લાગે છે. તે બાબુને પૂછે છે, ‘તે ભગવનને કેમાં યાદ કર્યા ? કઈ બાબતે તેમનો આભાર માન્યો ?
ત્યારે બાબુલાલ કહે છે, ‘શેઠ તમે મને જે હોડી કલર કરવા આપી હતી તે હોડીમાં એક છેદ હતો.’
આટલું સંભાળીને જમીનદારના તો હોશ ઊડી જાય છે. તે ચિંતામાં આવી જાય છે. પણ બાબુલાલ તેમને હિંમત આપતા કહે છે, ‘જમીનદાર સાહેબ આપ ચિંતા ના કરો. કાલે કલર કરતી વખતે મે જાતે જ એ છેદ પૂરી નાખ્યો હતો. એટલે ચિંતા કરવાની જરૂર નથી.’ એમની વાત ચાલુ હોય છે એટલામાં જ જમીનદારના બંને દીકરા નૌકા વિહાર કરીને પાછા ફરે છે.
તેમને સહી સલામત પાચા આવેલા જોઈ જમીનદાર ખુશ થઈ જાય છે. તે કલર વાળા બબુલાલનો આભાર મને છે. અને તેણે મજૂરીના પંદરસો રૂપિયાની સાથે બીજા પંદર સો રૂપિયા તેની ઈમાનદારી માટે આપે છે. અને ત્યારથી માંડી બબુલાલનું આખા ગામમાં મોટું નામ થઈ જાય છે. તેમણે મોટા મોટા કામ મળવા લાગે છે. અને તેનું ગુજરાન સારું ચાલવા લાગે છે.
સારા કર્મનું સારું ફળ ચોક્કસ મળે જ છે.