વિરોધ
વિરોધ
1 min
209
અણગમતી વાત માટે વિરોધ જરૂરી છે,
એ માટે મળતી બદનામીથી ડરવું નહીં,
અન્યાય સામે વિરોધ કરવો જરૂરી છે,
ચલાવી લેવાની ભાવના રાખવી નહીં,
વિરોધ કરીએ એટલે વંટોળ ઊઠે છે,
એ વંટોળિયાથી ગભરાઈ જવું નહીં,
સાહિત્ય એ સરસ્વતીની આરાધના છે,
સરસ્વતીને ઊંભી બજારે વેચાય નહીં,
વિરોધ કરવા માટે મનોબળ જરૂરી છે,
પછી પરિણામનો ડર રાખવો જ નહીં.