ઉન્નતી કે પતન
ઉન્નતી કે પતન
1 min
217
ઉન્નતી કે પતન એ પોતાના હાથમાં છે,
માણસ ધારે એ મેળવવા સક્ષમ છે,
જો સારાં કર્મ હોય તો ઉન્નતિ થાય છે,
જો ખોટાં કર્મો થકી પતનને નોંતરે છે,
વિચારો ઉચ્ચ તો ઉન્નતિ પ્રાપ્ત થાય છે,
હલ્કા વિચાર પતન ને વિનાશ નોતરે છે,
ભાવના શું મેળવવું એ નિજ હાથમાં છે,
માણસ સારું ખોટું કર્મ પ્રમાણે મેળવે છે
ઉન્નતી કે પતન માટે સંસ્કાર જરૂરી છે,
સારાં ફળ માટે સારાં કર્મ જરૂરી છે.
