મંગલકારી ગણેશ
મંગલકારી ગણેશ
1 min
220
મંગલકારી સૌથી સવાયા છે,
બધાં જ દેવો પહેલાં પૂજાય છે.
શુભ પ્રસંગે ભીંતે રંગવામાં આવે છે
ગણેશજી તો પ્રસંગોનો પાયો છે
વિધ્નહર્તા દેવ વિધ્નો દૂર કરે છે,
મંગલકારી ગણેશજી મંગલ કરે છે
અમૃતના આપનાર ગણેશજી છે,
સંકટ દૂર કરી સુખ શાંતિ આપે છે
વ્હારે આવી કષ્ટો દૂર કરે છે,
ગણેશજી સમૃદ્ધિ આપનાર છે.
ભાવનાના ભૂખ્યા ગણેશજી છે,
ગણપતિ ને લાડુ ખુબજ પ્રિય છે.
