કોણ કહે છે
કોણ કહે છે
1 min
253
આ કોણ કહે છે કે,
માતા-પિતા ધરતીનાં દેવ છે;
તો વૃદ્ધાશ્રમમાં કેમ છે ?
આ કોણ કહે છે કે,
દીકરીઓ તો લક્ષ્મી છે;
તો બળાત્કાર કેમ થાય છે ?
આ કોણ કહે છે કે,
ગ્રહોજ બધાંને નડે છે;
તોય પૂર્વાગ્રહ ક્યાં છૂટે છે ?
આ કોણ કહે છે કે,
લાગણી માર ખવડાવે છે;
તોય ભાવના ક્યાં કોઈ સમજે છે ?
આ કોણ કહે છે કે,
સરસ્વતી વિદ્યાની દેવી છે;
તોય સાહિત્યની ચોરી થાય છે ?