ગુરુદેવ
ગુરુદેવ
1 min
221
ગુરુદેવ પરમાર્થમાં જીવન ગુજારે છે,
ગુરુદેવ જ જિંદગીમાં સાચો માર્ગ બતાવે છે,
હરપળ દિલથી દુઆઓ આપતાં હોય છે,
બીજાનું ભલું કરવા જ જીવન ગુજારે છે,
ઉદ્ધાર કરવાં સેવકોને ગુરુ રાહબર બને છે,
પરમાર્થ કાજ જિંદગી વ્યતિત કરે છે,
ભાવના સેવકોની સમજી કરુણા કરે છે,
અને આમજ જિંદગી પરમાર્થમાં વાપરે છે,
નિતનવું જ્ઞાન આપીને જ્ઞાની બનાવે છે,
મંત્ર જાપ આપી આરાધના કરતાં શિખવે છે.
