અંબાજી
અંબાજી
1 min
200
અંબે નામ રટવું જરુરી છે,
અંબાજી જવું જરુરી છે,
શ્રદ્ધાથી મા વ્હારે ચઢશે,
જીવનમાંથી દુ:ખ દૂર કરશે,
અંબા મા અભય પદ આપે છે,
શ્વાસે શ્વાસે રટણ જરુરી છે,
ભાવના ભર્યું હૈયું જાપ જપે છે,
અંબામા માગ્યું વરદાન આપે છે,
અંબાજી સદાય સહાયક બને છે,
અંબામા એકલીન થવું જરુરી છે.
