અમૂલ્ય તુલસી
અમૂલ્ય તુલસી
1 min
248
અમૂલ્ય તુલસી છોડ ઔષધિ છે,
ઘર આંગણે શોભા વધારે છે,
તુલસી અનેરું મહત્વ ધરાવે છે,
એ વગર પ્રસાદી અધૂરી ગણાય છે,
તુલસી દલથી કૃષ્ણ તોલાયા હતાં,
એ થકી રૂકમણીનું ગર્વ ઉતાર્યું હતું,
તુલસી ધરતી પર દેવોની ભેટ છે,
જેની પૂજા કરવાથી સુખ મળે છે,
ભાવના પૌરાણિક કથા અનુસાર,
તુલસી,શાલીગ્રામ વિવાહ થાય છે,
જે ઘરમાં હોય તુલસી ને ગાય,
એ ઘરમાં સાક્ષાત પ્રભુનો વાસ,
તુલસીના પાન સંજીવની બૂટી છે,
તુલસી પોઝિટિવ ઊર્જા આપે છે.
