સુફિયાણી વાણીની સત્યતા
સુફિયાણી વાણીની સત્યતા
સુફિયાણી સલાહો કે વાતો શું સત્ય હકીકતોની ભૂખ ભાગી શકાય ?
આચરણ વગરની સલાહ સફળતાનો સ્વાદ કરાવી કે પામી શકાય ?
વણ માગી સલાહને કોઈના આવેદનની જરૂર હોય છે ખરી ?
છતો બે ભાવ થકી, જીવાય, હકીકત,ને બનાવટ જુદો હોય છે
સત્ય દબાવવા સુફિયાણી સલાહ અપાય ધૂળ પરના લીંપણ જેમ
ભાષા જુદા જુદા ભાવમાં વપરાય અસત્યને પાંખો સત્યને પંગુતા
સત્યને શું પંખ કે આંખ નથી હોતો ? પંગુતા મજબૂરી કે છટક બારી ?
સુફિયાણી વાત કે સલાહ થી ઢંકાય સત્ય ? મન મેળની રાખે અટારી
સત્ય કડવું ને પચાવવું ભારે હોય છે જેમ જ્ઞાન કાચા પારા જેવું
સત્યને ચાપલુસી સાથે વેર ફનાપણાનો ગજબનો લગાવ હોય છે
જૂઠ ચાપલુસી જીવન એશો આરામ દુન્યવી વૈભોવોથી તરબતર હોય છે
સંઘરર્શેને વરેલું સત્ય ઇતિયાસમાં આલેખાઈ અમર બનવા માટે હોય છે