તૃષ્ણાઓ
તૃષ્ણાઓ
1 min
7.1K
મન ઉર્ફે કે શિલા કહેવાય છે
કલ્પના ક્યાં સ્વપ્નથી જોડાય છે,
કોણ છે આબાદ આ બંને વિના
જોઉં છું કે તૃષ્ણાઓ ભરમાય છે,
છે ગલત એ સામ્યતાઓ એમની
તકૅને કઇ રીતથી શોધાય છે ?
જન્મના ફેરા છે મિથ્યા આપણા
સ્વાર્થને ક્યાં ત્રાજવે તોલાય છે?
ચકકરોથી મુક્ત થાવું કઇ રીતે
ખુદથી ક્યાં નિર્ણયો લેવાય છે??