STORYMIRROR

dinesh Nayak "Akshar"

Others

4  

dinesh Nayak "Akshar"

Others

સ્નેહની સરવાણી

સ્નેહની સરવાણી

1 min
371

સ્નેહની સરવાણી હૃદયમાંથી નીતરે,

સ્મરણનો દરિયો આંખમાંથી નિખરે,


દબાઈ જશે અહંકાર પળવારમાં,

મારાપણાનો ભાવ જો હૃદયે ઊભરે,


સ્વાર્થ વગરના ચહેરાઓ ચમકે,

જો નિ:સ્વાર્થની વાદળીઓ નિરંતર તરે,


સાહિલ કિનારે તો જ પહોંચે છે,

સતત ભાવ સારો હોય ભીતરે,


તું બાંધજે સત્કર્મની ગઠરી મુસાફિર,

ધર્માત્માના ખોટા દેખાડા શીદને કરે,


કરુણાથી ભર્યુંભર્યું હૃદય હોય તો,

સ્નેહ સરવાણી અક્ષર ગંગા પાર કરે.


Rate this content
Log in