મહાભારત
મહાભારત
કેવા હાલ થયાં કૌરવોના મહાભારત વાંચજો,
પાંડવોનું પચાવનાર એ દુર્યોધનને યાદ કરજો.
પછી જ કોઈની નીતિનું ઝૂંટવા આગળ વધજો,
સંપત્તિ કોની થઈ ને કોની થશે એ જરા જાણજો.
અનીતીનું મેળવેલું સારું નથી એ ધ્યાન રાખજો,
પ્રસ્વેદ બિંદુથી કમાયેલું વાપરી આનંદ માણજો.
કશું જ આપણું નથી મગજ માંથી તેને કાઢજો,
જન્મ મળ્યો માનવનો ઇશ્વરને બે હાથ જોડજો.
કામ, ક્રોધ, મોહ, માયા, લોભ એ સર્વ મારજો,
રહેજો સૌ સંગાથી બની સારું જીવન જીવજો.
જીવન એક સાગર છે તોફાનમાં સામે તરજો,
ભલે જીવન નૈયા હાલક- ડોલક કદી ન, ડરજો.
શરૂઆત ભલેને બૂરી પણ અંત સારો મળજો,
નામ લેતા લેતા હરિ તણું શાંતિથી દેહ છોડજો.
પોઢી જઈ શેષ શૈયાએ મુક્તિધામમાં ઉંઘજો,
રડતા રડતા આવ્યા અને હસ્તા હસ્તા મરજો.