STORYMIRROR

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

અંધકારનું આશ્વર્ય ચિન્હ

અંધકારનું આશ્વર્ય ચિન્હ

1 min
173

અંધકાર એટલે રાત્રી

કાળી રાત પછી

સોનેરી સવાર ઉગે છે

એમજ

પ્રેમ એટલે લાગણીઓ

જ્યાં મિલન ને જુદાઈ છે

અમાસની કાળી રાત પછી

પૂનમનો અજવાસ રેલાય છે


તો પછી

આ અંધકારનું આશ્વર્ય ચિન્હ કેમ !

દરેક ઘટના ક્રમબદ્ધ છે

ભાવનાને દેખાડો

એ પણ એકસાથે સંભવે છે

મંદિરમાં બિરાજમાન ઈશ્વર

પણ ભીડમાં એકલા છે

આ જગતમાં બધું જ

અનિશ્વત છે


છતાંય સૂર્ય ઊગે છે

ને સાંજે આથમે છે

એ અફળ છે

નમન નમનમા પણ ફેર છે

ચુગલીખોર સતત નમે છે


માટેજ

અંધકારનું આશ્વર્ય ચિન્હ કેમ છે ?

બંધ આંખોમાં સ્વપ્ન છે

જે ચહેરો ઝંખાય છે 

એના માટે ચાહત વધુ હોય છે

અને સતત સંગાથે

રેહવાની માગણી હોય છે.


સામગ્રીને રેટ આપો
લોગિન