આર્યુવેદ કે એલોપથી
આર્યુવેદ કે એલોપથી
1 min
204
આયુર્વેદ કે એલોપથી બેવ જરૂરી છે,
હોમિયોપથી કે નેચરોપથી સાથે જરૂરી છે,
ચારેય પથીઓ કાકા, બાપાની બહેનો છે,
બધીય પથીઓનું ધ્યેય બધાંને સાજા કરવાનું છે,
દીન દુઃખિયાનાં દુઃખ મટાડવા એજ આશય છે,
આવો નેક ધ્યેય થકી ચારેય પથીઓ ચાલે છે,
હું સારી ને તું ખરાબ એ ઝઘડો ખોટો છે,
સમજીને ઉપયોગ કરીએ ભાવના બધીય પથી સાચી છે,
દરેક પથીના અમુક ગુણો ફાયદો કરાવે છે,
માટે કોઈપણ પથી ઉતરતી નથી એ જાણો જરુરી છે,
ચારેય પથી માણસો માટે ઉપયોગી છે,
આર્યુવેદ, એલોપથી શા માટે ખોટાં આક્ષેપો છે,
વિશ્વ કલ્યાણ માટે ચારેય પથીઓ જરૂરી છે,
પથીઓના ઝઘડા છોડો, સંપ ત્યાં જંપ છે.