સત્યનો વિજય
સત્યનો વિજય
1 min
35
અસત્ય ભલે ગમે તેટલું બરાડે,
પણ સત્યના તોલે નહીં કે...
ભલે મોડા તો મોડા અસંખ્ય પ્રમાણબાદ પણ
સત્યનો જય થાય છે,
સત્ય આહુતિ માંગે ધીરજ માંગે ને સહનશીલતા માંગે,
દશેરા એ સત્યને જશ અપાવતું પર્વ છે...
દુર્ગા મૈયાનો મહિષાસુર પર વિજય મેળવી
મહિષાસુરમર્દીનીની પદવી મેળવવી...રામ રાવણના યુધ્ધ બાદ રામનો રાવણ પર વિજય મેળવવો આ શું પૂરાવાર કરે છે...
સત્યની તાકાત સામે જુઠ્ઠાણું લાંબુ ચાલે નહીં,આ જ તો છે પ્રમાણ ઈતિહાસનું સાક્ષી આપે છે કે,
અન્યાય સામે છેડેલી જંગ એકના એક દિવસ પરિણામ તો સત્યની તરફેણમાં આપે જ છે.
