તનને કે મનને વાગે
તનને કે મનને વાગે
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
1 min
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
315
અશ્રુ, જે સ્વભાવે ખારુ ઉસ લાગે,
જન્મે જયારે તનને કે મનને વાગે.
ખૂણા આંખ્યુંના ને પાંપણ ભીની,
ક્યારેક ડૂસકાંઓથી આગળ ભાગે.
કોણ કહે છે દર્દમાં જ છલકે છે?
ખુશીમાં પણ એ રેલાય હર્ષના રાગે.
સ્મરણો સાથે અજીબ સંબંધ એનો,
એકલતા જાણે એની ભીનાશ માંગે.
પરાકાષ્ઠાએ અસ્તિત્વ જોખમાય 'કલ્પ',
આઘાતોનો જયારે દાવાનળ જાગે !