તનને કે મનને વાગે
તનને કે મનને વાગે


અશ્રુ, જે સ્વભાવે ખારુ ઉસ લાગે,
જન્મે જયારે તનને કે મનને વાગે.
ખૂણા આંખ્યુંના ને પાંપણ ભીની,
ક્યારેક ડૂસકાંઓથી આગળ ભાગે.
કોણ કહે છે દર્દમાં જ છલકે છે?
ખુશીમાં પણ એ રેલાય હર્ષના રાગે.
સ્મરણો સાથે અજીબ સંબંધ એનો,
એકલતા જાણે એની ભીનાશ માંગે.
પરાકાષ્ઠાએ અસ્તિત્વ જોખમાય 'કલ્પ',
આઘાતોનો જયારે દાવાનળ જાગે !