સહારો
સહારો
1 min
284
અબોલ જનાવરના સહારે ,
આજના માનવને પાણી સ્પર્શતું હશે,
ત્યારે એને લાઞણી જેવું પણ કાંઈ થતું હશે ?
સહારો લાગણીનો લઈ અને આગળ વધવાની આદત,
પછી અબોલ જનાવરને હડધૂતવાનું મન પણ થતું હશે ?
દોસ્તીની વ્યાખ્યા તો જાણે'જ છે આ માનવ,
અન્યનો સહારો લઈ ક્યારેક હૈયું આપવાનું મન એને કદીયે થતું હશે ?
આકસ્મિક આવનાર એ છેલ્લો દિવસ જીંદઞીનો,
સામે ચાલીને આવનાર મૃત્યુ વિશે એણે કાંઈ વિચાર્યું હશે ?
જન્મની ખુશી તો મનાવે છે હરદમ 'દિપુ',
મોતનો શોક કેવો હોય શું એણે કદી વિચાર્યું હશે ?