પરીક્ષણનીતિ
પરીક્ષણનીતિ
1 min
164
વિધાતાએ જિંદગી સામે,
મૂકી દીધું એક મોટું પ્રશ્ર્નાર્થચિહ્ન !
ક્યાંય ખબર હતી એને "મનોજ",
ત્યાંથી શરૂઆત કરી આપણે.
આપ્યો દરેક પ્રશ્ર્નનો દરેક સાચો ઉત્તર,
છતાં આપણે તો નાપાસ થવાના.
સાચા ઉત્તરને પણ ખોટો ગણવાની,
ખબર છે તેની પરીક્ષણનીતિની.
પરીણામ ભલે ગમે તે આવતું,
ખબર તો છે કે અમે તો પાસ છીએ.
