પરગ્રહવાસી
પરગ્રહવાસી
1 min
225
દુર્દશા મારી જોવા ઘણા બધા અભિલાષી થયા,
ઇર્ષાનું પરિણામ કે, આજે એ પરગ્રહવાસી થયા.
હરખ ચહેરે જોઈને, જેમાં આગ સળગતી હતી,
મુજ પતનને ચાહનાર, સૌના ચહેરા ઉદાસી થયા.
શાસ્ત્રોમાં સ્પષ્ટતા સાથે બહાર પૂર્વક સમજાવ્યું છે,
ન સમજનારના કુકર્મો,આજે એના વિનાશી થયા.
સેવા,સત્કારને સદભાવના એ ક્યારેય મરતા નથી,
જીવન વિતાવ્યું જેમણે એમાં બધા અવિનાશી થયા.
માવતરની સેવા કરીને,જેણે જીવન વિતાવ્યું 'યાદ',
સાંભળ્યું છે કે એ જ લોકો,સ્વર્ગના રહેવાસી થયા.