મા હોવી એક સદભાગ્ય
મા હોવી એક સદભાગ્ય
ભાગ્યશાળી હોય છે એ,
જેને મા ની મમતા મળે છે,
બધા જ દર્દ ભૂલાય છે,
જ્યારે મા નો હાથ માંથે ફરે છેે,
મા એક જ એવી વ્યક્તિ છે,
જે આપણી ખામી પ્રેમથી સુધારે છેે,
સંતાન ગમે તેવું હોય મા નેે,
એ વહાલું લાગે છે,
બાળક ખુશ તો ખુશ થઈ જાય છેે,
મા માટે ખુશીનું બીજુ કારણ ક્યાં કઈ હોય છે ?
સંતાન માટે લડી જાય છે,
ભલે સામે ખુદ ઉપરવાળો હોય છેે !
પુત્ર તો પેંડા પુત્રી હોય તો ખાંડ દુનિયા ખવડાવે છે,
મા તો બંને ના જન્મ સમયે સરખીજ ખુશ થાય છે,
મા શાંતિથી ત્યારે જ બેસે છેે,
જ્યારે સંતાન સુખેથી ખાય છે,
બાળક જ્યારે સુઈ જાય છે,
ત્યારેજ મા ને નીંદર આવે છે,
અરે આગળ તો શું કહું !
મા ને ખ્યાલ આવે ! સંતાન પોતાનાં કારણે તકલીફમાં છે,
તો વૃદ્ધાશ્રમ હસતા હસતા ચાલી જાય છે !