ઝંકફૂડ બીમારીના ઘર છે
ઝંકફૂડ બીમારીના ઘર છે
1 min
184
આ બજારના બધા જંકફૂડ એ બીમારીનાં ઘર છે,
સાચું કહું તો એ બધાની સ્વાસ્થ્ય પર સીધી અસર છે,
એવું નથી કે આ પરિણામોથી માનવી અજાણ છે,
જંકફૂડથી થનારી સઘળી તકલીફોની એને ખબર છે,
ભાગદોડ ભરેલી જિંદગીમાં જંકફૂડનો હિસ્સો મહત્વનો છે,
બીજી રીતે કહું તો માનવીનું જીવન અધૂરું એના વગર છે,
એવું વિચારી જંકફૂડ ખાય કે પછી કસરત કરી લઈશ,
અને બધું મારું થઈ જશે સરભર છે,
પણ લોક એ નથી વિચારતાં કે આ બધુ ખાઈખાઈ ને,
આપણે જ "સંગત" આપણી ખોદીએ કબર છે,
