બદલાના ભાવથી પીડાતો માનવી
બદલાના ભાવથી પીડાતો માનવી
હે..જી.. બદલાના ભાવથી જુવો, ખુદ પીડાતો કેવો આ સ્વાર્થી માનવી
રાતભર ઈ પથારીએ પડખાં ફરે, તોય બુઝે ન બદલા કેરી આગ.
જોને.. શમે ન વેરથી વેર કદી, પ્રેમ થકી જ આગ વેરની બુઝાય
રાખો હૈયે સ્નેહ છલકતો સદા, તો આવે ન કદી મોઢે બદલાની વાત.
હે...જી... મન મોટા ને હોય હૈયા જેના વિશાળ, ન હોય બદલાનો જેને ભાવ
ઈ નર જગમાં સુખી ઘણો, ઈ હંસલો સુખસાગરે મોતીડાં ખાય.
જો.ને...મૂખ જેના હો મીઠડું મલક્તાં, જેને હૈયે રૂડા હંસલા હોય
એવા જ્ણને સદાય ભેળો રાખીયે, ઈ મળે તો અંતરસુખ હોય.
હે..જી... સ્વાર્થ રહે જેનાથી કોસો દૂર, જેના મુખડે નૂર ભરપૂર હોય
એવો નર જો કદી નીરખીયે, તો વાત કરતા પણ સુખ ઝાઝું હોય.