અનામી હીર ની યાદો ના પલ
અનામી હીર ની યાદો ના પલ
બાળપણથી જ લડવું પડશે એવી જિંદગી હતી,
કિસ્મતની સાથે જ લડાઈ થશે એવી જિંદગી હતી.
ખબર હતી કે ટૂંકી છે આ જિંદગીની સફર,
પણ ખુદ માટે કંઈક કરવું એવી રવાનગી હતી.
"અનામી" બની એ ઝગમગતો રહ્યો દરેકમાં,
લોકોના દિલમાં રાજ કરે એવી આ માદગી હતી.
રુદન છુપાવી બધાને હસાવ્યા કરે છે એ "હીર",
અંતરમાં કેટલું રડે છે વાત એવી ખાનગી હતી.
દરેક "પલ"ને રાઝ બનાવીને રાખ્યા છે તેમણે,
દફનાવેલા રાઝને શબ્દમાં લખવા એવી પસંદગી હતી.
"યાદો" ને સજાવવાનું શીખ્યા એ રાધા પાસેથી,
નાનકડી વાતમાં રાધાની યાદ એવી નવરંગી હતી.
"અનામી હીર"ને તો ફક્ત શ્રી કૃષ્ણની જરૂર હતી,
છતાં "યાદો"ના "પલ"ની એવી મોજુદગી હતી.