આરતી કે અજાન
આરતી કે અજાન
1 min
13.5K
માણસ મંદિરમાં કે મસ્જિદમાં શુ કામ જાય છે ?
અને જાય છે તો, સાચા દિલથી જાય છે ?
એ આરતીમાં આવે કે અજાનમાં એ આવે,
કહો એને કે સાથમાં હૃદય અચુક લાવે.
કોઈ ભલે ન પુછનાર હો તને જગતમાં,
કે જાતની ભલા શરમ કદી તને સતાવે.
જનમ જનમથી એ જ આશ પર જીવી રહ્યા છે,
કહો એને કદી તો પ્રેમ સાચુકો જતાવે.
સુગંધના તું ઓરતા પછી કરી શકે જો,
કદી ફુલો તણા તું છોડ આંગણામાં વાવે.
સતત એ ઝાંઝવા લઈને દ્વાર પર ઉભા છે,
તરસ કોઈ જો મનભરી ને તોરણે સજાવે.
એ રોજ પથ્થરોને દંડવત કરી નમે છે,
કદી એ શિશુ વૃધ્ધ માના ચરણે પણ નમાવે.
લખી લખી એ મોકલે ટપાલ વ્હાલ ભીની,
યુગોથી આંખે દીકરી કોઈ જો કોતરાવે.