ઉંમર
ઉંમર
સંજના જન્મે રૂપરૂપનો અંબાર હતી. જેમ જેમ ઉંમર વધતી ગઈ પણ બુદ્ધિ પાંચ વર્ષના બાળક જેવી રહી ગઈ. માવતરે રૂપિયા ખર્ચીને દવા, પૂજા બધું કરાવ્યું પણ કોઈ ફેર પડ્યો નહીં.
શારીરિક ફેરફાર શરીરમાં આવ્યાં એટલે માવતરે ગામડામાં ગરીબ જ્ઞાતિના યુવાન એ પણ વિકલાંગ સાથે રૂપિયા આપીને લગ્ન કરાવ્યા ને હાશ માનીને ચારધામની યાત્રા કરવા ગયા. ને અકસ્માત સર્જાતા બસ ખીણમાં ખાબકતા મોત થયું એવું જાહેર થયું.
સંજનાને સાસરીમાં એક રૂમમાં બાંધીને રાખવા લાગ્યા. ને ઢોરને ખાવા આપે એમ આપતાં હતાં. સંજના મોટી મોટી આંખોથી ઉપર આકાશમાં નિહાળી બડબડાટ કરતી રહેતી હતી. ઉંમર વધવાની સાથે બુદ્ધિ વધી નહોતી એ દુનિયા માટે ગૂન્હો હતો એ વાતથી સંજના અજાણ કંઈ કર્મોના ફળ કેદખાનામાં ભોગવી રહી હતી.