નવરાત્રિ ના ઓરતા
નવરાત્રિ ના ઓરતા
નવરાત્રિ કેટલો અર્થસભર શબ્દ છે !
આપણે એને સાવ છીછરો અને છેતરામણો કરી મૂકયો છે !
મર્યાદા અને વિવેક આપણે ભૂલી ચુકયા છીએ. અને દંભ અને દેખાડો કરીએ છીએ.
તમામ તહેવારોની રચના પાછળ કંઈક ધ્યેય છે ! આદર્શોની ઉડી સૂઝ છે. નોરતાના નવે નવ દિવસ શકિતની આરાધના-ઉપાસનાના મહામૂલા દિવસો છે ! મંત્ર - તંત્ર અને યંત્રની સાધના માટે આ દિવસો મહત્વના મનાય છે..
માતાજીની આરાધના કરીને ભીતરમાં ઢબુરાઈ ગયેલી અઢળક આત્મશકિતને જગાડવાની છે !
"મા "ના ચરણે જયારે જીવન સમર્પિત બને ત્યારે જ શકિતના ધોધનો " પીન પોઈન્ટ" ખૂલે !
એક વાત સમજો શોર.. આવાજ.. ઘોંઘાટ.. આ બધામાં તમારી પ્રાથઁના ખોવાઈ જશે તો ભગવાન કે માતાજી સુધી નહીં પહોંચી શકે.