Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

લાગ્યો હદયને ઘા

લાગ્યો હદયને ઘા

2 mins
179


લાગણીઓમાં ખાધેલા હદયના ઘાના દુઃખને,ભીતરમાં સીવી લે છે. કેટલીક હસ્તીઓ આમજ, ખુમારીથી જીવી લે છે. અને એ હદયના ઘાના શૂળને છુપાવા મોં પર હંમેશા એક મોહક સ્મિત રાખે છે.


અંજલિબેન સ્વભાવથી ખુબ જ દયાળુ અને પ્રેમાળ હતા. એમને પરિવારમાં બે દિકરીઓ અને એક દીકરો હતો. મોટી દિકરી અનેરી ની બ્હેનપણી કેતકી એમના ઘરે આવતી. અંજલિ બેનને મમ્મીજ કહેતી. અને અંજલિબેન પણ હતાં પણ મમતાનો ભંડાર એ પણ કેતકીને દિકરી ની જેમજ રાખતાં હતાં અને નાની મોટી એને મદદ કરતાં રહેતાં.


ઘણી વખત તો કેતકી અઠવાડિયુ અઠવાડિયુ અંજલિબેનના ઘરે જ રોકાતી અને હકક કરતી. અંજલિબેન પણ પોતાની ગણી એને હદયથી લગાવી રાખે છે. ક્યાંય પણ જવાનો પ્રોગ્રામ બને અંજલિબેનના પરિવાર સાથે કેતકી હોય જ. એ પછી અંબાજી જવાનું હોય કે થિયેટરમાં મુવી જોવા જવાનું હોય પણ કેતકી જરૂર હોયજ. કેતકીને એક મોટો ભાઈ હતો એ અહીં કંઈ કામકાજ કરતો નહીં અને વ્યસન કરીને ઘરનાંને હેરાન કરતો. કેતકી રોજ અંજલિબેન પાસે રડતી. મનગમતા સંબંધો મેળવવા એટલાં અઘરાં નથી જેટલું એને આખું જીવન મનગમતાં રાખવાં હદયના ઘા સહન કરતા રહેવું અઘરું છે.


અંજલિબેન આ સાંભળીને એક સગાની મદદથી અને પોતે રૂપિયાની મદદ કરી કેતકીના ભાઈ ને અમેરિકા મોકલ્યો જેથી કેતકીના ઘરમાં શાંતિ રહે. કેતકીનો ભાઈ અમેરિકા જઈને એક મોલમાં નોકરીએ રહ્યો અને ઈમાનદારીથી કામ કરતાં પોતે કરકસર કરી કેતકીને રૂપિયા મોકલાવવા લાગ્યો. કેતકીના ઘરે હવે તકલીફ ના રહેતા કેતકી ના મમ્મી અંજલિબેનને મળવા આવ્યા અને અંજલિબેનને કહે "તમારો હદયથી આભાર માનું છું. આજે મારા ઘરમાં તમારા લીધે સુખ શાંતિ છે. મુસાફીર હતા અમે એક અજાણ્યા રસ્તાના, તમને મળ્યાને મંઝીલ મળી, અમને જિંદગી મળી. તમારો ઉપકાર જિંદગીભર નહીં ભુલાય." એવું કહીને કેતકી અને એની મમ્મી ઘરે ગયા.


ધીમે ધીમે કેતકી હવે પંદર દિવસે મળવા આવે. અંજલિબેન તો એજ હદયની ભાવનાઓ લૂંટાવતા રહ્યા. આમ ને આમ બે વર્ષ થયા. કેતકીના ભાઈને અમેરિકામાં વધુ પડતું ડ્રિકસ લેવાથી ફેફસાંમાં હોલ પડી ગયું અને લોહીની વોમિટ થવા લાગી તો રસ્તામાં બેભાન થઈ જતાં દવાખાને દાખલ કર્યો. ત્યાં જ એનું અવસાન થઈ ગયું. અહીંથી કોઈ જઈ શકે એમ ના હોઈ ત્યાંજ બધી વિધિ પતાવી દીધી. અંજલિબેન કેતકીના ઘરે આ સમાચાર સાંભળી બેથી ત્રણ વખત મળી આવ્યા. પણ કેતકીને એવું લાગ્યું કે અંજલિબેન બદલાઈ ગયાં છે અને મને હવે પ્રેમ નથી કરતાં અને મદદ પણ નથી કરતાં.


તો કેતકીને ખુબ ગુસ્સો આવ્યો એટલે એણે એક દિવસ ફોન કરીને અંજલિબેનનેખરી ખોટી સંભળવી દીધી અંજલિબેનને તો હદય પર આવા આક્ષેપથી ઘા લાગ્યો. એ એકદમ સૂનમૂન થઈ ગયા, એમને આ બધું સાંભળી હવે બધાં પરથી ભરોસો ઉઠી ગયો અને અંદરથી દુઃખી રહેવા લાગ્યા.


આમ તો ન તૂટત સંબંધ પણ, એમની ગરજ પતી હતી, અને મારી ફરજ પતી હતી. કેટલીય વખત હદયને સમજાવ્યું પણ આ ઘા વિસારે ના પડયો અને અંજલિ બેનની તબિયત પર આની અસર પડી.


Rate this content
Log in